અખેગીતા/કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૩૭મું-વસ્તુનું માહાત્મ્ય અખેગીતા
કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા
અખો
કડવું ૩૯મું-સદ્ગુરુનું માહાત્મ્ય →


રાગ ધન્યાશ્રી

એ અનંતને બોલ્યા ન જાયજી, મહતા નાવે વાણી માંયજી;
વચન ન લાગે તો કેમ કહેવાયજી, મહા ચૈતબ્ય ધન નહિ મનકાયજી.


પૂર્વછાયા.


કાયા મન કોણ કહે તેહને, જિહાં કહણહાર કહેવું નથી;
અધો ઉર્ધ્વ તે શું શા થકી, જિહાં ગ્રહણહારે ગ્રહ્યું નથી. ૧

દૂર નિકટ તે શા થકી શું, જો મધ્યે પદારથ નહિ કશું;
સદા નિરંતર છેજ સરખું, વસ્તુ વિચારે એ અશું.[૧]

પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જગત નાથિ નિરધાર;
પરઠણહારે[૨] પરઠ્યું નથી, નહિ વિચાર અવિચાર. ૩

ચક્રાતીત[૩] ચિતવે થકે, ભાઈ રહે તે અદ્‌ભૂત વસ્ત;
અતુલ આશે અનંત મોટો, જિહં નહિ ઉદે ને અસ્ત. ૪

ઉદે અસ્ત બ્રહ્માંડ માંહે, દિનકરવડે દિનરાત્ય;
દિનરાત્ય કરી કાલ માપના, મરણજીવન બહુ ભાત્ય. ૫

એ સ્થૂલભોગ બ્રહ્માંડ માંહે, ચૌદલોક કેરી વરત્ય[૪]

;

અનિર્વચની તિહાં વાણી ન પહોંચે, નહિ તિહાં સંસૃત્ય[૫]. ૬

સ્વતંત્ર સ્વામી સદા, તિહાં જેમ છે તેમનું તેમ; થયું ગયું કાંઈએ નથી, સહજેજ એ છે એમ. ૭

આપાપર કોએ નથી, જીવાજીવ વિગ્રહ[૬] કશો; પૂર્વ પશ્ચિમ નથી કહેવા, કાર્ય-કારણ-વિણ અશો. ૮

જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતા-વિના, જેમનું તેમ સદાય; એ પૂરણની પૂરણતા, વેત્તા=વેધ-વિનાય. ૯

કહે અખો બ્રહ્મ અનિર્વચની, વચન નહિ અનંતને; અક્ષરાતીત[૭] આનંદપદની, ગમ્ય છે મહંતને. ૧૦

  1. આવું.
  2. નક્કી કરનારે.
  3. શરીરની અંદરનાં ચક્રોથી પર.
  4. અ $ ર રહેલ.
  5. સંસાર.
  6. કલેશ.
  7. માયાથી પર

(પૂર્ણ)

અખાના છપ્પા