અમશું કપટતણી વાતજ છાંડ

અમશું કપટતણી વાતજ છાંડ
નરસિંહ મહેતા


<poem>

અમશું કપટતણી વાતજ છાંડ, મારે ઘેર આવો તો, કાંઈ ઉફાંડ મ માંડ, મારે ઘેર આવો તો. જુઠાં જુઠાં મ બોલીશ, જાણું તારી વાત; નીશા વશી રમી નાહાશી, આવ્યો છે પ્રભાત. અંગચેહેન તારે દીસે છે ઘણાં, જોઈને વીમાસી બોલે ચતુરસુજાણ; ઘેર આવ્યોરે શેં ન દીજે માન, નરસઈઆચો સ્વામી સુખનું નિધાન. મારે.