આ જોને આહીરને આંગણે
નરસિંહ મહેતા


આ જોને આહીરને આંગણે, નરહરિ નાચે નિત્યે રે;
બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે તે હરિ આવે પ્રીત્યે રે. - ઓ જોને. ૧

નાચતો હરિ સુંદર દીસે ઘૂઘરડી વાજે ચરણ રે;
ભરૂઆડાનાં ભાગ્ય જ મોટા, શું કીજે ઉત્તમ વરણ રે? - ઓ જોને. ૨

ભક્ત તણા હિત જાણી ભૂધાર અવનિતલ અવધાર ધરે;
ધન્ય ધન્ય ગોપી કૃષ્ણ હૂલરાવે, નરસૈંનો સ્વામી પાપ હરે. - ઓ જોને. ૩