મેહેલ પીતાંબર, અંબર માહરૂં

મેહેલ પીતાંબર, અંબર માહરૂં
નરસિંહ મહેતા


<poem>

મેહેલ પીતાંબર, અંબર માહરૂં, સુરજ ઉગ્યો સુઈ ક્યમ રહીએ; અમ ઘર સાસુ નણંદ જૂઠી વસે, કંથ પૂછે ત્યારે શુરે કહીએ. સાવજ શબ્દ કરે અતિ સુંદર, દીપક તેજ તો ક્ષીણ થાએ; કંઠથી કુસુમનો હાર કરમાઈયો, બાહેર રાગ પંચમ ગાયે. તું તારે મંદિરે, પ્રેમશું પોઢીઓ, માહરે મંદિર દૂર જાવું; લોકની લાજ, લોપીરે લક્ષ્મીવર, હું રે વળતી હવે નહીં રે આવું. ધેન દોહોવી ઘેરરે, વાછરૂ વલવલે, મહીરે વલોવવું આજ માહારે; કંઠથી બાહર કાઢિ કમલાપતિ, કાલ આવે હવે કોણ તારે. સુરત સંગ્રામની, શાંતિજ હુઈ, રહીરે ઉજાગરી, શીશ નામી; નરસિંહાચો સ્વામી સુખસાગર પોઢિયો, વિરહની વેદના ત્યારે વામી.