અખેગીતા/કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
અખેગીતા
કડવું ૧ લું - હરિગુરુસંતની સ્તુતિ
અખો
કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ →


રાગ ધન્યાશ્રી

ૐ નમો ત્રિગુણપતિ રાયજી, સર્વે પહેલા જે પૂજાયજી;
અગમગોચર જેને શ્રુતિ ગાયજી, ચરણચિંતવીહું પાય લાગું પાયજી.

પૂર્વછાયા

ચરણ ચિંતવીને સ્તુતિ કરૂં, ચિદ્‍શક્તિ બ્રહ્માનંદની;
અણછતો અખો અધ્યારોપ કરે, તે કથા નિજાનંદની. ૧

ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ, નામ યુગલ રૂપ એક;
તેને સ્તવું નીચો નમીને, કરૂં બુધ્ધિમાન[૧] વિવેક. ૨

પરાત્પર પરબ્ર્હ્મ જે, તે મન-વાણીને અગમ્ય;
તેઓ લક્ષ આપી શકે, તે માટે ગુરુ તે બ્રહ્મ. ૩

શ્વાન શૂકર[૨] બિડાલ ખર, તેના ટોળાનો જે જેંત;
તેને મૂકે હરિ કરી, જેને મળે સદ્‍ગુરુ સંત. ૪

ગુરુમહિમા છે અતિ ઘણો, કો સમઝે સંત સુજાણ;
તે ગુરુ-ગોવિંદ એકતા ભજે, જેને લાગ્યાં સદ્‍ગુરુ-બાણ. ૫

જેમ રવિ દેખાડે રવિધામને, તેમ ગુરૂ દેખાડે રામ;
તે માટે હરિ તે ગુરુ, ગુરુ ગોવિંદ એવું નામ. ૬

ચિન્હ સમ્યું તે સંતનું, જે ગુરુ-ગોવિંદ એકતા ભજે;
જેમ બીબામાંહે રસ ભર્યો, તે વણ ઘડ્યે રૂપ નીપજે. ૭

જેમ સુવર્ણકેરી મોહોર્માંહે, અન્ય મુદ્રા છે અતિઘણી;
તેમ ગુરુ-ભજનમાં સર્વ આવે, જો મન વળે ગુરુચરણભણી. ૮

જેમ બધિર ન જાણે નાદસુખને, સ્વાદ નોહે રસનાવિના;
તેમ ગુરુવિના હરિ નવ મળે, જેમ ભોગ ન પામે નિર્ધના. ૯

કહે અખો સહુ કોએ સુણો, જોટાળવા હીંડો જંતને;[૩]
એ આરતશું[૪] ઉરમાં ધરો, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦

નોંધ ફેરફાર કરો

  1. મારી બુધ્ધિ પ્રમાણે
  2. ભુંડ
  3. જીવભાવને
  4. પ્રીતિથી.