અખેગીતા/કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
←  કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય અખેગીતા
કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ
અખો
કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન →


રાગ ધન્યાશ્રી

સંત સંગત કરતાં વિલંબ ન કીજેજી, જેમ તેમ કરીને હરિરસ પીજેજી;

મહાજન સંગે કારજ સીજેજી, વસ્તુ-રૂપ થઇને તો જીવીજેજી
પૂર્વછાયા

વસ્તુ-રૂપે થઇ જીવિયે, તે કળા જાણે મહંત;
તત્વ સઘળાં એમ દીસે, જેમ પટરૂપે તંત. ૧

જેમ છીપને રત ખરી ઉપજે, તો ઉપર આવે જળમાંહેથી;
સુરત્યનો તાણ્યો તે પરજન્ય, આવી વરસે ક્યાંહેથી. ૨

તેહનાં મુખ વિકસી રહે, લેવા કાજે બિંદુને;
તો મુક્તાફળ નીપજે મનોહત, પામે નિજ આનંદને. ૩

જે મેહેરામણથી બહાર નાવે, તેતાં ઠાલી રહે ખરી;
તેમ હરિ ગુરુ સંતને જે ન સેવે, તે ન પામે નિશ્ચે હરિ. ૪

તેજ વૃષાનાં બિંદુ બીજાં, પડે અહિના૧૦ મુખવિષે;
તેહ હલાહલ૧૧ થ ઇ નીવડે, તેણે મૃત્યુ પામે જે કો ભખે. ૫

સંત-ચન તે કહે યથારથ, વાંકું ગૃહે ખલબુધવડે૧૨;
પાત્રયોગે ભલો ભુંડો, ક્ષેત્રનો વહેરો પડે. ૬

નિર્મલ બુધે સંત સેવીયે, તો ઉપજે નિર્મલ જ્ઞાન;
મનસા વાચા કર્મણાએ, રાખો હરિ વિષે ધ્યાન. ૭

જેમ કુંઝી૧૩ મૂકે ઈંડાંને, તે દૂર જઇ ચારો કરે;
તેની સુરત્ય રહે માંહોમાંહે, તો અપત્ય ત્યાંથી ઉછરે. ૮

વણસેવે૧૪ સેવાય બાલક, જેને કૃપા આવે ગુરુ તણી,
તેમ સુલક્ષણાને મળે શ્રીહરિ, તેનું મન રહે ગુરૂચરણભણી. ૯

કહે અખો સહુકો સાંભળો, એ કહ્યું છે બુધ્ધવંતને;

જે સુણતામાંહે ઝડપે વચનને, તે સેવે હરિ-ગુરુ-સંતને ૧૦

________________________________________

૧ બ્રહ્મરૂપ. ૨ જીવીએ. ૩ લૂગડારૂપે. ૪ તાંતણા. ૫ મનોવૃત્તિનો. ૬ ફાડી. ૭ મોતી. ૮ સમુદ્રમાંથી. ૯ વરસાદના. ૧૦ સર્પના. ૧૧ આકરૂં ઝેર. ૧૨ અવળી બુધ્ધિ વડે. ૧૩ કુંઝડી. ૧૪ સેવ્યા વિના.


(પૂર્ણ)